Tuesday, 15 August 2017

"મહાભારતમા બે ખાસ મિત્રો" : - "शिवाधिन" Mehul Brahmbhatt

    "મહાભારતમા બે ખાસ મિત્રો" : -  " शिवाधिन "

1. કર્ણ અને દુર્યોધન
2. ક્રિષ્ણા અને અર્જુન

સત્ય કર્ણ પણ જાણતો હતો.પણ "મોટા થવાની ઈચ્છામા" તે દુર્યોધનને ન રોકી શક્યો કે ન સમજાવી શક્યો.માત્ર ગુલામ મિત્રની જેમ દુર્યોધનની દરેક 'હા 'મા 'હા' મિલાવતો ગયો.અને .રાજા પણ બન્યો.ધન મળતા દાતા પણ બન્યો.પણ.સત્ય ન સમજી શક્યો.ન સમજાવી શક્યો. કદાચ દુર્યોધન કર્ણનો ઉપયોગ જાણતો હતો અને કર્ણ દુર્યોધનની જરુરીયાત.

        ક્યાંક મિત્રતામા " સ્વાર્થ " હતો...

જ્યારે ક્રિષ્ણાએ અર્જુનને દરેક વાતે ટકોર કરતા હતા.ગુસ્સો પણ કરતા હતા.અને સત્ય સમજાવતા પણ હતા.અર્જુન ક્રિષ્ણાને જાણતો હતો.માનતો હતો.

            એટલે કે વિશ્વાસ હતો ક્રિષ્ણા પર.

અર્જુનને રાજા હોવા છતા પણ વનવાસ ભોગવવો પડ્યો હતો.છતા પણ ક્રિષ્ણાએ તેમનો સાથ ન હતો છોડ્યો.એ હતી સાચી મિત્રતા....
એક રાજા હોવા છતા પણ અર્જુનના સારથી બન્યા હતા...
   
     અર્જુન અને ક્રિષ્ણાની મિત્રતામા સ્નેહ ,
       લાગણી , પ્રેમ અને વિશ્વાસ હતો.......

   ==મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા, ડીસા)==

Tuesday, 27 June 2017

છે આદત આ ગુણકારી ... "शिवाधिन" Mehul Brahmbhatt

છે આદત આ ગુણકારી  ...   ©"शिवाधीन" 

      ઓછુ બોલો , વધુ સાંભળો
                          છે આદત આ ગુણકારી
      ઓછા ખર્ચા , વધુ બચત
                          છે આદત આ લાભકારી
      ભુલો ભુતકાળ , ના વિચારો ભવિષ્ય
                              બનાવો વર્તમાન સારી
      ઓછો લોભ , ઓછી લાલચ
                         છે આદત સુખ આપનારી
      કરો હરીફાઈ , માત્ર "સ્વ" સાથે
                              બનો  ક્રિષ્ના  કર્મધારી
      ગુસ્સો , ઈર્શા , અંહકાર
                            છે આદત નુક્શાન કારી
      દારુ , જુગાર અને માંસાહાર
                           બરબાદ  કરે  બુદ્ધિસારી
     'હરિહર' મા રાખો વિશ્વાસ
                   મહાદેવ સાથે રાખો ક્રિષ્ણા યારી

   == મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા ) ==

Wednesday, 14 June 2017

ક્યારે માણસ હેરાન થાય ??  "शिवाधिन" Mehul Brahmbhatt

ક્યારે માણસ હેરાન થાય ??  " शिवाधिन "

ક્યારે પકડવી જીદ ? અને ક્યારે  છોડવી જીદ ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યારે કરવો ગુસ્સો ? અને ક્યારે રહેવુ શાંત ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યારે બોલવુ સાચુ? અને કોની સામે બોલવુ સાચુ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યારે કરવી મહેનત ?અને ક્યારે કરવા જલસા?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

કઈ વાત રાખવી રહષ્ય ?અને કયારે રાખવી રહષ્ય ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

કઈ વાતની કેટલી કિંમત ?અને કઈ વાતમા સમય ન વેડફવો ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

કોની સલાહ સ્વિકારવા જેવી ?અને કોની વાત કાને ન ધરવા જેવી ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

કોને પોતાના સમજવા ?અને કોનાથી દુરી રાખવી ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યાં કેટલા ખર્ચ કરવા ?અને ક્યારે કેટલી બચત કરવી ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યારે કોના પર વિશ્વાસ મુકવો ? અને ક્યારે કોના પર ભરોસોન રાખવો?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

વધુ પડતી લાલચ , વધુ પડતી લાગણી , વધુ પડતો વિશ્વાસ , વધુ પડતો ગુસ્સો , વધુ પડતી મહત્વકાંક્ષાઓ અને તે પ્રમાણે મહેનતનો અભાવ !!
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

 
    ==મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા, ડીસા)==

Thursday, 8 June 2017

ગુરુદેવ ક્રિષ્ણા...."शिवाधिन" Mehul Brahmbhatt

                       " शिवाधिन "

       વિધાર્થી  છે  અર્જુન અને  ગુરુદેવ ક્રિશ્ન
       પુછતા જવાબ મળે ઉકેલાય ઘણા  પ્રશ્ન
   
    ==મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા, ડીસા)==

Sunday, 28 May 2017

" કાન્હા આવુ કેમ થાય છે ? " "शिवाधिन" Mehul Brahmbhatt

" કાન્હા આવુ કેમ થાય છે ? " शिवाधिन

નથી સમજાતુ મને કે ,
       "   કાન્હા આવુ કેમ થાય છે ? "
જાણે છે એ બધુ
                    છતા  કેમ છેતરાય છે ?

મહેનત કરે બીજા અને
                        જો ફળ બીજા ખાય છે.
ફળ ખાનારની નજરોમા
                       એમની કદર ક્યાં થાય છે ?

નથી સમજાતુ મને કે ,
            " કાન્હા આવુ કેમ થાય છે ? "
જાણે છે એ બધુ
                    છતા કેમ છેતરાય છે ?

સતત ખરા  પરીશ્રમે પણ  
                    નિષ્ફળ કેમ  જવાય છે ?
શુ   ખોટા  માર્ગે
                      સફળ  થવાય    છે ?

નથી સમજાતુ મને કે ,
       "   કાન્હા આવુ કેમ થાય છે ? "
જાણે છે એ બધુ
                    છતા  કેમ છેતરાય છે ?

કહ્યુ કાન્હાએ મને
                        આને આસક્તી કહેવાય છે.
લાલચ અને લાગણીઓમા
                            વારંવાર એ છેતરાય છે

તુ મિત્ર ફળની આશાએ
                            કર્મ કરતો જાય છે .
સફળતા અને નિસ્ફળતાના
                    અનુભવ એટલેજ થાય છે.

કહ્યુ કાન્હાએ મને
                        આને આસક્તી કહેવાય છે.
લાલચ અને લાગણીઓમા
                            વારંવાર  એ છેતરાય છે

કર્તા હું અને કર્મ પણ હું
                    તુ તો માત્ર માધ્યમ કહેવાય છે.
માધ્યમે  તુ  ક્યાં
                    દુખી અને અભિમાની થાય છે?

કહ્યુ કાન્હાએ મને
                        આને આસક્તી કહેવાય છે.
લાલચ અને લાગણીઓમા
                            વારંવાર  એ છેતરાય છે

ઊર્જા કરો બધી એકત્રીત
                       માત્ર તમારી એક ઈચ્છા પર.
અલગ અલગ ઈચ્છાએ
                        કઈ ઈચ્છા પુરી થાય છે ?

કહ્યુ કાન્હાએ મને
                        આને આસક્તી કહેવાય છે.
લાલચ અને લાગણીઓમા
                             વારંવાર  એ છેતરાય છે.
                    
હવે ખબર પડી મિત્ર તને
                            કે આવુ કેમ થાય છે ?
અનાસક્તે સ્થિતપ્રજ્ઞે
                      જીવન સફળ અને સુખી થાય છે.

હવે સમજાયુ  મને  મહાદેવ કે
         ક્રિષ્ણાને મિત્ર અને સખા કેમ કહેવાય છે.
ભગવદ ગીતાના જ્ઞાનમા હવે
             દરેક પ્રશ્નોના જવાબ મળતા જાય છે.

      હવે સમજાયુ કે ,આવુ કેમ થાય છે .
     આસક્તિમાજ એ સદા છેતરાય છે.

-------- મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા ) ---------