Wednesday, 14 June 2017

ક્યારે માણસ હેરાન થાય ??  "शिवाधिन" Mehul Brahmbhatt

ક્યારે માણસ હેરાન થાય ??  " शिवाधिन "

ક્યારે પકડવી જીદ ? અને ક્યારે  છોડવી જીદ ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યારે કરવો ગુસ્સો ? અને ક્યારે રહેવુ શાંત ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યારે બોલવુ સાચુ? અને કોની સામે બોલવુ સાચુ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યારે કરવી મહેનત ?અને ક્યારે કરવા જલસા?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

કઈ વાત રાખવી રહષ્ય ?અને કયારે રાખવી રહષ્ય ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

કઈ વાતની કેટલી કિંમત ?અને કઈ વાતમા સમય ન વેડફવો ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

કોની સલાહ સ્વિકારવા જેવી ?અને કોની વાત કાને ન ધરવા જેવી ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

કોને પોતાના સમજવા ?અને કોનાથી દુરી રાખવી ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યાં કેટલા ખર્ચ કરવા ?અને ક્યારે કેટલી બચત કરવી ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યારે કોના પર વિશ્વાસ મુકવો ? અને ક્યારે કોના પર ભરોસોન રાખવો?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

વધુ પડતી લાલચ , વધુ પડતી લાગણી , વધુ પડતો વિશ્વાસ , વધુ પડતો ગુસ્સો , વધુ પડતી મહત્વકાંક્ષાઓ અને તે પ્રમાણે મહેનતનો અભાવ !!
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

 
    ==મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા, ડીસા)==