Tuesday, 16 October 2018

એ જોગી સદા મહાન છે !! "शिवाधिन" Mehul Brahmbhatt

એ જોગી સદા મહાન છે !!"शिवाधिन" 

એ જોગી બહું મહાન છે !
આપીને એ ખુશ થાય છે !
ભક્તોના સુખે હરખાય છે !
એ જોગી બહું મહાન છે !
અન્નપુર્ણા પાસે ભિક્ષા માંગે છે !
ભક્તોને બત્રીસ પકવાન આપે છે !
એ જોગી બહું મહાન છે !
એ ઝેર પોતાની પાસે રાખે છે !
બધાને અમ્રુત આપે છે !
એ જોગી બહું મહાન છે !
પોતે વાઘની ખાલ પહેરે છે !
શિષ્યોને પિતાંબર આપે છે !
એ જોગી બહું મહાન છે !
બધુ એમનું છે છતા પણ અંહકાર નથી !
બધા એમના છે એમનામાં ભેદભાવ નથી !
એ જોગી બહું મહાન છે !
એ ભોળામાં ભોળા ભગવાન છે !!
એ જોગી મારા દયાળું ભોલેનાથ છે !

જોગી તુજ સંતાન 'મેહુલ'  સદા આધીન તમારા
હર પલ યાદ કરું દાદા ,સદા સાથે રહજો  મારા!
મહેનતની શક્તિ સફળતા અને સિદ્ધી આપજો !
અંહકાર , ગુસ્સો , આળસ , ઈર્ષા દુર રાખજો !

- મેહુલ બ્રહ્મભટ્ટ (સોતમલા , ડીસા )

Wednesday, 10 October 2018

મારી બા !!! "शिवाधिन" Mehul Brahmbhatt


જસબા બા .હંમેશા હસતો ચહેરો..."शिवाधिन"  

મારી બા !!!

મહેરુસિંહ બ્રહ્મભટ્ટ (આસેડા)ના ઘરે જન્મ  બધા ભાઈ બહેનોમાં મોટી બહેન અને મહેરુજીનો " મોટો દિકરો " એટલે જસબા બા !

મોટો દિકરો એટલા માટે જ્યારે સમાજમાં દિકરીઓના જન્મની  સાથે દુખી થતા અને નિસાસો નાખતા એ સમયમાં મહેરુજીના પરીવારમાં દિકરીને દિકરાના તોલે ગણીને દિકરા જેટલુંજ મહત્વ મળેલ.

જસબા બાને મહેરુજી કહેતા " મારો દિકરો છે દિકરો " ...!!!

મહેરુજીએ જસબા બાને એક દિકરાની જેમજ તાલીમ આપેલી. ઘોડે સવારી , તલવાર બાજી , રાઈફલ શુટીંગ અને ખેતી શિખવાડેલી !!

જસબા બાનાઘડતરમાં એક દિકરીના ગુણો સાથે દિકરાની હિંમત આપવાનું કામ મહેરુજીએ કરેલું....!

ડર , ભય , ચિંતા તો ક્યારેય જોવા નથી મળેલા જસબાની અંદર ....!!

હંમેશા હિંમત , શૌર્ય , મહેનત , ક્રિષ્ણા ભક્તિ , એક સખત પરીશ્રમ જોવા મળેલો !!!

જસબા એટલે એક આજ્ઞાકારી પુત્રી , !
જસબા એટલે એક મોટાભાઈ જેવી બહેન !
જસબા એટલે એક  આદર્શ અને હિમંતવાન પત્ની !
જસબા એટલે એક  મહેનતું પ્રેમાળ માં !
જસબા એટલે એક માર્ગદર્શક મિત્ર જેવી દાદી !
જસબા એટલે એક  મદદકર્તા મિત્ર !
જસબા એટલે માનવતા !! મે જોઈ છે....!!

" ખવરાયે કદી ખુટે નહી ની  નીતી બાળકોને  સંસ્કારમાં આપનાર એટલે " જસબા "

આધુનીક વિચારધારામાં માનનાર !
ક્રિષ્ણામાં માનનાર એટલે જસબા..બા ..!!!

એની એક વાત ....

" ખોળીયું બદલાય છે.શરીર બદલાય છે.
પણ આત્મા નહી ! આત્મા અમર છે.
એ ફરીથી જન્મ લે છે. !!! " એ ભગવદ ગીતા જાણતી હતી !!

સહનશક્તિ એની સખત હતી !!

એ અલગજ હતી !!

એ પીડામાં પણ હસતી જેથી બીજાના ચહેરા રડે નહી !

એ બધુંજ જાણતી હતી , !

એ બધાનેજ ઓળખતી હતી !

એને બધીજ ખબર હતી !

કોણે કેટલું કહેવાથી કેવી  સંબંધો પર અસર થશે એ જાણતી હતી !!

માટે ઠપકા એમણેજ આપતી જે એના ઠપકા પચાવી શકે !!

એ જેને જેવું ગમે એવુંજ પિરસતી હતી !!

પણ એ એકાંતે ચોક્કસ " કાનમાં ઘણું " કહેતી હતી !!

તમે મળેલા એમને ....!!!  ?? એ નિખાલસ હતી ! ! એ હકારાત્મક હતી !

હંમેશા એના સ્વભાવને તમે યાદ કરશો !!

- મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા )