" કાન્હા આવુ કેમ થાય છે ? " शिवाधिन
નથી સમજાતુ મને કે ,
" કાન્હા આવુ કેમ થાય છે ? "
જાણે છે એ બધુ
છતા કેમ છેતરાય છે ?
મહેનત કરે બીજા અને
જો ફળ બીજા ખાય છે.
ફળ ખાનારની નજરોમા
એમની કદર ક્યાં થાય છે ?
નથી સમજાતુ મને કે ,
" કાન્હા આવુ કેમ થાય છે ? "
જાણે છે એ બધુ
છતા કેમ છેતરાય છે ?
સતત ખરા પરીશ્રમે પણ
નિષ્ફળ કેમ જવાય છે ?
શુ ખોટા માર્ગે
સફળ થવાય છે ?
નથી સમજાતુ મને કે ,
" કાન્હા આવુ કેમ થાય છે ? "
જાણે છે એ બધુ
છતા કેમ છેતરાય છે ?
કહ્યુ કાન્હાએ મને
આને આસક્તી કહેવાય છે.
લાલચ અને લાગણીઓમા
વારંવાર એ છેતરાય છે
તુ મિત્ર ફળની આશાએ
કર્મ કરતો જાય છે .
સફળતા અને નિસ્ફળતાના
અનુભવ એટલેજ થાય છે.
કહ્યુ કાન્હાએ મને
આને આસક્તી કહેવાય છે.
લાલચ અને લાગણીઓમા
વારંવાર એ છેતરાય છે
કર્તા હું અને કર્મ પણ હું
તુ તો માત્ર માધ્યમ કહેવાય છે.
માધ્યમે તુ ક્યાં
દુખી અને અભિમાની થાય છે?
કહ્યુ કાન્હાએ મને
આને આસક્તી કહેવાય છે.
લાલચ અને લાગણીઓમા
વારંવાર એ છેતરાય છે
ઊર્જા કરો બધી એકત્રીત
માત્ર તમારી એક ઈચ્છા પર.
અલગ અલગ ઈચ્છાએ
કઈ ઈચ્છા પુરી થાય છે ?
કહ્યુ કાન્હાએ મને
આને આસક્તી કહેવાય છે.
લાલચ અને લાગણીઓમા
વારંવાર એ છેતરાય છે.
હવે ખબર પડી મિત્ર તને
કે આવુ કેમ થાય છે ?
અનાસક્તે સ્થિતપ્રજ્ઞે
જીવન સફળ અને સુખી થાય છે.
હવે સમજાયુ મને મહાદેવ કે
ક્રિષ્ણાને મિત્ર અને સખા કેમ કહેવાય છે.
ભગવદ ગીતાના જ્ઞાનમા હવે
દરેક પ્રશ્નોના જવાબ મળતા જાય છે.
હવે સમજાયુ કે ,આવુ કેમ થાય છે .
આસક્તિમાજ એ સદા છેતરાય છે.
-------- મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા ) ---------