Sunday, 28 May 2017

" કાન્હા આવુ કેમ થાય છે ? " "शिवाधिन" Mehul Brahmbhatt

" કાન્હા આવુ કેમ થાય છે ? " शिवाधिन

નથી સમજાતુ મને કે ,
       "   કાન્હા આવુ કેમ થાય છે ? "
જાણે છે એ બધુ
                    છતા  કેમ છેતરાય છે ?

મહેનત કરે બીજા અને
                        જો ફળ બીજા ખાય છે.
ફળ ખાનારની નજરોમા
                       એમની કદર ક્યાં થાય છે ?

નથી સમજાતુ મને કે ,
            " કાન્હા આવુ કેમ થાય છે ? "
જાણે છે એ બધુ
                    છતા કેમ છેતરાય છે ?

સતત ખરા  પરીશ્રમે પણ  
                    નિષ્ફળ કેમ  જવાય છે ?
શુ   ખોટા  માર્ગે
                      સફળ  થવાય    છે ?

નથી સમજાતુ મને કે ,
       "   કાન્હા આવુ કેમ થાય છે ? "
જાણે છે એ બધુ
                    છતા  કેમ છેતરાય છે ?

કહ્યુ કાન્હાએ મને
                        આને આસક્તી કહેવાય છે.
લાલચ અને લાગણીઓમા
                            વારંવાર એ છેતરાય છે

તુ મિત્ર ફળની આશાએ
                            કર્મ કરતો જાય છે .
સફળતા અને નિસ્ફળતાના
                    અનુભવ એટલેજ થાય છે.

કહ્યુ કાન્હાએ મને
                        આને આસક્તી કહેવાય છે.
લાલચ અને લાગણીઓમા
                            વારંવાર  એ છેતરાય છે

કર્તા હું અને કર્મ પણ હું
                    તુ તો માત્ર માધ્યમ કહેવાય છે.
માધ્યમે  તુ  ક્યાં
                    દુખી અને અભિમાની થાય છે?

કહ્યુ કાન્હાએ મને
                        આને આસક્તી કહેવાય છે.
લાલચ અને લાગણીઓમા
                            વારંવાર  એ છેતરાય છે

ઊર્જા કરો બધી એકત્રીત
                       માત્ર તમારી એક ઈચ્છા પર.
અલગ અલગ ઈચ્છાએ
                        કઈ ઈચ્છા પુરી થાય છે ?

કહ્યુ કાન્હાએ મને
                        આને આસક્તી કહેવાય છે.
લાલચ અને લાગણીઓમા
                             વારંવાર  એ છેતરાય છે.
                    
હવે ખબર પડી મિત્ર તને
                            કે આવુ કેમ થાય છે ?
અનાસક્તે સ્થિતપ્રજ્ઞે
                      જીવન સફળ અને સુખી થાય છે.

હવે સમજાયુ  મને  મહાદેવ કે
         ક્રિષ્ણાને મિત્ર અને સખા કેમ કહેવાય છે.
ભગવદ ગીતાના જ્ઞાનમા હવે
             દરેક પ્રશ્નોના જવાબ મળતા જાય છે.

      હવે સમજાયુ કે ,આવુ કેમ થાય છે .
     આસક્તિમાજ એ સદા છેતરાય છે.

-------- મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા ) ---------

Wednesday, 24 May 2017

ક્રિષ્ણાજ્ઞાન : "शिवाधिन" Mehul Brahmbhatt

        "શિવાધિન"

આભાસી છે દુનીયા આખીય
છે બધા અહિ મ્રુગજળ સમાન
અનાસ્ક્તે સ્થિતપ્રજ્ઞ બનતા
મળશે ભગવાન ક્રિષ્ણાનુ જ્ઞાન

✍મેહુલ બ્રહ્મભટ્ટ .(સોતમલા , ડીસા )

મિત્ર ક્રિષ્ણા કેવા છે..." "शिवाधिन" Mehul Brahmbhatt

મિત્ર ક્રિષ્ણા કેવા છે..." શિવાધિન "

એ કોઈના કોઈ સ્વરુપે મદદ કરતા રહે છે.
સમય સાથે રુપ બદલતા રહે છે.

કોઈ દિ મિત્ર સ્વરુપે , કોઈ દિ શિક્ષક સ્વરુપે..
શબ્દો થી સમજાવતા રહે છે.

એ કોઈના કોઈ સ્વરુપે મદદ કરતા રહે છે.
સમય સાથે રુપ બદલતા રહે છે.

કોઈ દિ પ્રેમાળ સ્વરુપે , કોઈ દિ વિકરાળ સ્વરુપે.
જુદિ જુદિ રિતે પરિસ્થિતિને સમજાવતા રહે છે.

એ કોઈના કોઈ સ્વરુપે મદદ કરતા રહે છે.
સમય સાથે રુપ બદલતા રહે છે.

કોઈ દિ ફુલ સ્વરુપે , કોઈ દિ કાંટા સ્વરુપે .
સારો અને ખોટાનો ભેદ સમજાવતા રહે છે.

એ કોઈના કોઈ સ્વરુપે મદદ કરતા રહે છે.
સમય સાથે રુપ બદલતા રહે છે.

કોઈ દિ વારવાર નિસ્ફળતા સ્વરુપે , કોઈ દિ એક ભવ્ય સફળતા રુપે
જીવનને સમજતા અને જીવતા શિખવતા રહે છે.

એ કોઈના કોઈ સ્વરુપે મદદ કરતા રહે છે.
સમય સાથે રુપ બદલતા રહે છે.

આ બધુ મારુ છે ...તુ માત્ર માધ્યમ છે તેમ કહીને સુખ અને દુખમા પણ માલીક બનતા રહે છે ..

એ કોઈના કોઈ સ્વરુપે મદદ કરતા રહે છે.
સમય સાથે રુપ બદલતા રહે છે.

✍    મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા )