Thursday, 14 February 2019

  "જીદ અને ક્રોધ : માણસના દુશ્મન " "शिवाधिन"

  "જીદ અને ક્રોધ : માણસના દુશ્મન " "शिवाधिन"

જીદ અને ક્રોધ એ માણસના અંદર રહેલા માણસના આંતરીક દુશ્મન છે. જે માણસને સતત નકારાત્મક રીતે સંઘર્ષમય પરિસ્થિતિમાં રાખે છે. માણસ સાચો હોવા છતા પણ ખોટો  સાબીત થાય છે.

ક્રોધમાં હકારત્મકતા નાશ પામે છે. જ્યારે જીદમાં હકારાત્મક શક્તિ વેડફાય છે. માટે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા સંઘર્ષ કરો !! જીદ અને ક્રોધથી નહી !! પણ  મહેનત , પ્રેમ અને સ્નેહ થી !!

સમય , વ્યક્તિ અને પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ !! ચોક્કસ સફળતા મળે છે. !! ભૂલો શોધો , ભૂલો સુધારો !! ભૂલો એ સ્વભાવની ઉપજ છે. માટે ધીરે ધીરે સુધરે છે છતા સતત ભૂલો સુધારવા પ્રયત્નશીલ રહેવું જોઈએ !!

સતત સ્વ અધ્યાય અને સ્વ સુધારામાં કાર્યરત રહેવું જોઈએ !! પરિવર્તન અઘરુ છે !! પણ અશક્ય નથી !!

- મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા )