Wednesday, 26 September 2018

કટાર લેખન :  માણસની મુખ્ય ફરજ ( Mehul Brahmbhatt )

"शिवाधिन"
કટાર લેખન :  માણસની મુખ્ય ફરજ ( મારા મુજબ )

જે દેશમાં જન્મ્યા છીએ એ દેશના માન અને સન્માન સાથે જીવવું જોઈએ અને દેશના આર્થીક , સામાજીક , અને સાંસ્ક્રુતીક પ્રગતીમાં સહકાર આપવો જોઈએ.

1. જન્મ આપનાર અને સ્વની અવગણના કરી અને સંતાનને  યથાશક્તિ મદદ કરનાર " માં - બાપ "ની સાચવવા . ( તમે માં કે બાપ બનો છોં ત્યારે આ વાત સમજાય છે. સમય સાથે વિચારોમાં તફાવત આવે છે.જનરેશન ગેપ આવે છે એ ગેપને આપણે સમજવો જોઈએ )

2. સ્વની એટલે કે પોતાની "તમેં તમારા થાઓ " સ્વની અવગણના ન કરવી અને દુર્ગુણો ન આવવા દેવા.

3. જે વ્યક્તિએ તમારા પર પુરેપુરો વિશ્વાસ મુકીને બીજા પોતાનું ઘર છોડી અને તમારા ઘરને પોતાનું બનાવ્યું છે તે પત્ની ..( વિચારોમાં ભેદ હોય , પણ વિશ્વાસ અને લાગણીમાં ભેદ ન હોવો જોઈએ )

4. તમારા બાળકો જેમણી સંસ્કારથી લઈને શિક્ષણ સુધીની જવાબદારી તમારી છે. અને એના ભવિષ્યનું નિર્માણ તમારો સ્વભાવ , વિચારો અને આદતો કરશે. ( યાદ રાખજો તમારા અને તમારા બાળકો વચ્ચે ચોક્ક્સથી એક જનરેશન ગેપ આવશે જે તમારા અને તમારા પિતા વચ્ચે આવ્યા હશે. )

5. પરીવારની સાથે મુખ્ય જવાબદારી છે તમારું કુટુંબ અને એ મિત્રોંની જેમણે તમને હંમેશા હકારાત્મક સપોર્ટ કર્યો હોય ! તમારા વિકાસમાં ફાળો આપ્યો હોય , તમને તકલીફમાં સાથે રહ્યા હોય ! ( કુંટુંબમાં ચોક્કસથી એકતાની ભાવના હોવી જોઈએ , એક્ બીજાના સપોર્ટમાં હોય એજ કુટુંબ , પરીવાર કહેવાય છે. સ્વાર્થથીં ક્યારેય કુટુંબ કે પરીવાર નથી બનતા માત્ર અમુક સમય સુધીના સંબંધોજ બને છે. જે સ્વાર્થ પુરો થતા અંત આવે છે. )

6. તમારું ગામ અનેં તમારો સમાજ  જે ગામે રહેવા ઘર આપ્યુ અને જે સમાજના નામે ઓળખાવ છો એ  ગામ અને એ સમાજના વિકાસમાં હકારાત્મક ફાળો આપવો જોઈએ .( હકારાત્મક ફાળો એટલે જેનાથી કોઈને નુકશાન થયા વગર , કોઈનો હક્ક છિનવ્યા વગર તમારો હક્ક મળે , દેશને ફાયદો થાય )

7. માનવતા અને સર્વધર્મ સમભાવ એ આપણા માણસ હોવાની નીશાની છે. નકારાત્મકતાનો વિરોધ હોવો જોઈએ હકારાત્મક વિચારોનો સપોર્ટ કરવો જોઈએ. (વન , પર્યાવરણ , વન્ય જીવ સરક્ષણ વગેરેને )

" એ ઈશ્વર એક જ છે. યાદ રાખજો એને આપણને બનાવતાં કોઈ ભેદભાવ નથી કર્યા આપણે એમને જે રીતે જાણ્યા એજ રીતે સ્વિકાર્યા "

- મેહુલ બ્રહ્મભટ્ટ (સોતમલા , ડીસા )