Wednesday, 12 September 2018

કટાર લેખન : ખોટી ધારણા એજ વહેમ "शिवाधिन" Mehul Brahmbhatt

"शिवाधिन"

કટાર લેખન : - ખોટી ધારણા..(વહેમ )

85 % માણસ ખોટી ધારણાઓ સાથે જીવે છે. જ્યારે હકીકત અલગ છે.  માણસ જેવા લોકો સાથે રહે છે , જેવું સાંભળે છે , જેવું વાંચે છે તેવું વિચારતો થઈ જાય છે.

હાકારાત્મક બનશો તો બધુંજ પોઝીટીવ દેખાશે.
નકારાત્મક બનશો તો બધે વહેમજ દેખાશે.

હકારાત્મક બનવું પડે છે. જ્યારે નકારાત્મક સમાજ બનાવે છે.

હકારાત્મક અને નકારાત્મક ધારણાઓ મનમાં  ધારતો થઈ જાય છે. અને એ ધારણાઓથી માણસ પોતાના મસ્તિષ્કમાં જે તે વ્યક્તિનું એવું ચીત્ર બનાવી નાખે છે. જ્યારે હકીકત કઈંક અલગ હોય છે.

દા.ત :

એક વ્યક્તિ વખાણ કરે કે આ વ્યક્તિ સારી છે.
બીજી વ્યક્તિ વખાણ કરે કે આ વ્યક્તિ સારી છે. તો પછી એ વ્યક્તિ તમને સારીજ લાગશે. પણ હકિકત માં શું એ વ્યક્તિ સારી છે ???
એ એને મળ્યા પછીજ ખબર પડે.

સારુ બોલતા..! બધાને આવડે છે. માર્કેટીંગ અત્યારે મીઠા વચનો પરજ થાય છે. અને માણસ છેતરાય છે. !

માણસની બદનામી પણ આજ રીતે છે. 

આપણે લોકોની ધારણાઓ સાથે આપણી ધારણા જોડી દઈએ છીએ અને જે તે વ્યક્તિને સારો કે ખરાબ ચીત્રીએ છે.

એક બહુજ મીઠું બોલતો હોય , સારુ સારુ બોલતઓ હોય  પણ એનો સ્વભાવ હંમેશા બીજાને છેતરીને કે એનો ઉપયોગ કરીને પોતાનો ફાયદો કરવાનો હોય તો એ માણસ સારો !!!

અને એક માણસ કડવું અને સાચું બોલવાની આદત હોય , સ્વભાવે ગુસ્સા વાળો હોય , પણ કોઈને છેતરવાનો કે હરામનો ખાવાનો સ્વભાવ  હોય તો તે ખરાબ કઈ રીતે હોઈ શકે !!!

જે લોકો હંમેશા બીજાની નિંદાજ કરતા હોય એ લોકો શું તમારી નિંદા નહી કરતા હોય !!

જે લોકો હંમેશા બીજાને છેતરવાના પ્લાન  બનાવતા હોય શું એવા લોકો તમને નહી છેતરે ?

આ વાત થઈ લોકો પ્રત્યેની ખોટી ધારાણા !!

લોકો કહે સારા , એ કદાચ સારા પણ ન હોય
લોકો કહે ખરાબ , એ ખરાબ પણ ન હોય !!

આવીજ ધારણાઓ આપણે વેપાર , શિક્ષણ , સંબંધ બાબતે પણ બાંધી લેતા હોઈએ છીએ!.

શિક્ષણ ક્ષેત્રે આ પરીક્ષા અઘરી , આ પરીક્ષા સહેલી નથી...!!! બસ લોકો ધારણામાં પણ આપણે એ પરીક્ષાને સારી ખરાબ માનસિકતામાં ચીત્રીએ છીએ અને ડર અનુભવીએ છીએ.

ધોરણ 1 થી 9 માં તમે જે ડર અનુભવતા નથી તેનાથી 10 ઘણો ડર તમે 10માંનિઓબોર્ડ એક્ઝામમાં અનુભવો છો.!! કારણ...!! વહેમ !!

તલાટીની પરીક્ષાનું લેવલ ધોરણ 12 સુધીજ છે. યાદ રાખજો...ખોટા વહેમ ન રાખતા...!!

વેપાર અનુભવ પરથી શિખાય છે. અનુકરણે નહી એ ચોક્કસ સમજવું જરુરી છે. અનુભવજ સફળતાનો સાચ્ચો માર્ગ છે. એટલે નફો અને નુકશાન એ તો વેપારના મુખ્ય અંગો છે. ખોટા વહેમ ના રાખતા કે પેલાએ આ વેપાર કર્યો અને કમાણો તો આપણે આ વેપાર કરીએ અને કમાઈએ !!!...એનો સંધર્ષ જોજો , એની ધીરજ જોજો , એનું નુકશાન જોજો , એની મહેનત જોજો...માત્ર બેલેન્સ સીટ અને પ્રોપર્ટી જોઈને ધારણા ન બનાવી લેતા....ટુંકમાં વેપારમાં મહેનતજ છે...આરામ નથી...!! ખોટા વહેમ ન બનાવી દેતા કે એ વેપારીઓ ઝલસા કરે છે.

" આયોજન બદ્ધ મહેનત એટલે સફળતા "

ધર્મ બાબતે એવુજ છે. પણ દુખની વાત એ છે કે ધર્મ તમારા ડરના કારણે વેપાર બની ગયો છે.
ભગવાન તો એકજ છે. તમે એને કોઈ પણ નામ આપો. એ છે જ !! એ દરેક સ્વરુપે છે. ! ધર્મ ક્યારે ડરતા ન શિખવે એ તો જીવતા શિખવે. ડર તો વહેમ હોય ત્યાં હોય. !!

ઘણા લોકો ભગવાનની પુજા પણ ડરતા ડરતા કરતા હોય છે. ઘણા લોકો સ્વાર્થ વહેમમાં પોતાના ભગવાન પણ બદલી દેતા હોય છે.

આ હનુંમાનજી કરતા પેલા હનુમાનજીનું ચમત્કારી છે....!!! બોલો એક જ ભાગવાનના અલગ અલગ !!!

આ ધાર્મીક વહેમ છે. !!

ઈશ્વર એકજ છે. અને એજ સનાતન સત્ય છે.

ભગવદ ગીતામાં ક્રિષ્ણા આ ધાર્મીક વહેમ તોડતા કહે છે કે " તું મનેજ માન , હું જ બધું છું "
જેટલા પણ દેવી અને દેવતાના નામ છે એ એકજ ઈશ્વરના નામ છે.

સ્ત્રી સ્વરુપ એ મારી મતે માં અંબા છે એજ ભવાની છે !!

અને પુરુષ સ્વરુપ એ શિવ છે એજ ત્રીદેવ છે. એજ તેત્રીસ કોટી છે.

અને દરેક ધાર્મિક સ્થળ મારા માટે મંદિરજ છે. જ્યા લોકો પોતાની આસ્થા રજુ એ સ્થળ મારા માટે મંદિર સમાનજ છે.

- મેહુલ બ્રહ્મભટ્ટ (સોતમલા , ડીસા )