“ સ્વચ્છ ભારત અભિયાન ”
“સ્વચ્છતા સ્વતંત્રતા કરતાં વધુ મહત્વની છે.” મહાત્મા ગાંધી
શું છે સ્વચ્છ ભારત અભિયાન ???
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2/10/2014 ના રોજ મહાત્મા ગાંધીનું સ્વપ્ન “સ્વચ્છ
ભારત સુંદર ભારત” બનાવવા માટે લોકોને નવી દિલ્હીમાં રાજપથ ખાતે વિનંતી કરી હતી કે , “ ભાઈઓ
અને બહેનો મહાત્મા ગાંધીને સૌથી વધારે પ્રિય હતી સફાઈ,
સ્વચ્છતા. શું આપણો દેશ સ્વચ્છ ના થઈ શકે ??? જો સવા સો કરોડ ભારતીય નક્કી કરી લે કે , ‘હું
ક્યારેય ગંદકી નહીં કરું’ તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે જે આપણાં શહેર , ગામ ને
ગંદુ કરી શકે.2019 માં મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિ આવી રહી છે. શું આપણે
નક્કી કરીએ કે 2019માં મહાત્મા ગાંધીની 150મી જયંતિ મનાવીશું ત્યાં સુધી આપણાં ગામ
, આપણાં શહરે , આપણાં મંદિરો , આપણાં દવાખાના
માં ગંદકીનો નો નિકાલ કરી એક સ્વચ્છ ભારત ની ભેટ આપીશું.”
સ્વચ્છ ભારત અભિયાનના ઉદેશો
સ્વચ્છ ભારત અભિયાન નો મુખ્ય ઉદેશ ભારતની ભૂમિ ને પ્લાસ્ટિક
(ઘન) , કેમિકલ (પ્રવાહી), જેવા
કચરાનો નિકાલ કરી સ્વચ્છ અને સુંદર પ્રદૂષણ રહિત ગામ , શહેર
અને ભારત બનાવવાનો છે.
નવી દિલ્હીમાં રાજપથ ખાતે સ્વચ્છ ભારત
અભિયાન દ્વારા મધર ઇન્ડિયા, મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રદ્ધાંજલી અર્પિત કરી છે. મહાત્મા ગાંધીનું
સ્વપ્ન “સ્વચ્છ ભારત સુંદર ભારત” બનાવવા
માટે લોકોને વિનંતી કરી હતી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 ઓક્ટોમ્બર 2014 ના રોજ રાજઘાટ નવી દિલ્હી
પોતે સ્વેચ્છાએ સાવરણી દ્વારા માર્ગ સાફ કરીને સ્વચ્છ ભારત આભિયાનની શરૂઆત કરી
હતી. આ ઝુંબેશમાં ભારતના 3 લાખ કર્મચારીઓ,
સેલિબ્રિટિ,ઉધ્યોગપતિ અને વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
સ્વચ્છ ભારત અભિયાન માં સરકાર દ્વારા 62,000 કરોડ
રૂપિયા રોક્યા છે. ભારતના રાષ્ટ્રપ્રમુખ પ્રણવ મુખરજીએ વિનંતી કરીકે ,"દરેક ભારતીયને વર્ષમાં 100 દિવસ સફાઈ માટે
ફાળવવા જોઈએ."